Tuesday, March 28, 2023

ગામ ના કરિયાણા ના વેપારી અને માખણ ના વેપારી વચ્ચે કર્મ નું મંથન.

એક મિત્રએ પૂછ્યું કે સાદી ભાષામાં કર્મનો સિદ્ધાંત એટલે શું? ગુજરાતીમાં કહેવત છે; જેવું વાવો તેવું લણો. કર્મ એટલે તમે જે કરો તેનું પરિણામ.



કર્મ નો નિયમ દર્શાવતો ટૂંકો પ્રસંગ.

એક ગામમાં એક દૂધવાળો હતો. એ દર અઠવાડિયે 1 કિલો માખણ બનાવીને શહેરમાં કરિયાણાની દુકાન પર વેચતો હતો.


 
કરિયાણાવાળો માખણના બદલામાં 1 કિલો ખાંડ આપતો હતો.
એક દિવસ, કરિયાણાવાળાને થયું કે માખણનું વજન કરવા દે.

 એના આશ્ચર્ય વચ્ચે માખણનું ચોસલું 1 કિલોને બદલે 900 ગ્રામનું નીકળ્યું.
બીજા અઠવાડિયે, દૂધવાળો માખણ લઈને આવ્યો એટલે કરિયાણાવાળો અકળાયો અને કહ્યું કે તું મને છેતરે છે, 
જા જતો રહે, પાછો આવતો નહીં.
દૂધવાળો વિલા મોંઢે બોલ્યો, "મોટાભાઈ, હું તો ગામડિયો છું, મને વજન કરતાંય આવડતું નથી અને મારી પાસે વજનિયું પણ નથી. હું તો તમે આપેલી ખાંડને એક પલ્લામાં મૂકીને બીજા પલ્લામાં માખણ મુકું છું."

આને કર્મનો સિદ્ધાંત કહેવાય.

જિંદગી કર્મો સે લીખી કિતાબ હે, એક દિન હોના સબકા હિસાબ હે.

 સંપાદન - વિવેક બારૈયા
સૌજન્ય - રાજ ગૌસ્વામી.

Tuesday, March 14, 2023

"બસ,મારા રાજ્યની મહિલા બીજાની ઓશિયાળી ન રહે" :મહારાજ ભગવત સિંહ જી. #થાકલો, #વિસામો. #gondal.

આ તસ્વીરમાં દેખાતું સ્ટ્રક્ચર કેવું સામાન્ય છે...
કોઈ શહીદના સ્મારક જેવું દેખાય છે....

પણ તેની પાછળની કહાની દંગ કરી દે તેવી છે...

ગોંડલ ના રાજા ભગવતસિંહે તેમના સાશન કાળ દરમ્યાન રસ્તા પર થોડા થોડા અંતરે આવા સ્ટ્રક્ચર બનાવ્યા જે હાલ માં પણ ઉભા છે .
એ જમાનામાં ગામડાની મહિલાઓ ને દુર દુર ખેતરથી ઢોર માટે વજનદાર નીરણ (ઘાંસનિ ભારી) માથે ઉચકીને આવવું પડતું અને જયારે થાકી જાય ત્યારે તે વજન નીચે ઉતારી આરામ કરવો પડતો.

પરંતુ એ ભારી બીજાની મદદ વિના ફરીથી માથા પર ચડાવવાનું મુશ્કેલ હતું...

નિર્જન રસ્તાઓ પર મદદ કરનાર કોઈ ન મળે...
રાજાએ એકવાર એક મહિલાને ભારી"ચડાવી આપી...

તેને વિચાર આવ્યો કે મારા રાજ્યની મહિલા બીજાની ઓશિયાળી ન રહે....
પોતાની જાતે "ભારી" ઉતારી શકે અને ચડાવી શકે...

અને આ પ્રકારના સ્ટ્રક્ચર ઠેર ઠેર તૈયાર કરાવ્યા..... 

ભલે સામાન્ય લાગતું હોય પરંતુ સ્ત્રીઓની મુશ્કેલી જયારે કોઈ વિચારતું ન હોય તે સમયમાં એક રાજા આવું વિચારી શકતો હતો.....

દીર્ઘદ્રષ્ટિ માત્ર નહિ....

નારીજીવન સુધારાનો ખ્યાલ રાજાના મનમાં !!

Wednesday, March 8, 2023

જીવન સુંદર છે તેને ધુમાડામાં જવા ન દો, જિંદગી પસંદ કરો, તમાકું નહીં'


🌟જીવન સુંદર છે તેને ધુમાડામાં જવા ન દો,
જિંદગી પસંદ કરો, તમાકું નહીં.


🌟સિગારેટનાં એક છેડે ધુમાડો હોય છે અને બીજે છેડે મુર્ખ.

“ધુમ્રપાન નિષેધ દિવસ” ( no smoking day)દર વર્ષે માર્ચ મહીનાનાં બીજા બુધવાર પર મનાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ ધુમ્રપાન નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ દિવસ ઉજવવાની શરૂઆત સન 1984થી થઇ હતી. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે ધુમ્રપાનનો શિકાર દરેક 12 થી 17 વર્ષની વયના યુવા થાય છે. આ પાછળનું કારણ ક્યારેક કંઈક નવું કરવાની જિજ્ઞાસા હોય છે તો ક્યારેક અન્ય કરતાં પોતે મોટા છે એવું સાબિત કરવાની લાલસા પાછળ સગીર વયે વ્યક્તિ ધુમ્રપાનનો શિકાર થાય છે.



 ધુમ્રપાન નિષેધ માટે જનજાગૃતિ હેતુ આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે, પરતું ખરેખર તો આવા માદક પદાર્થોનાં નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત્ત દિવસ હોતો નથી. ‘જાગ્યા ત્યારથી સવાર’✅ એ સૂત્ર મુજબ કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે બસ આ માટે જે તે વ્યક્તિએ પોતાનું મન મક્કમ કરવાની આવશ્યક્તા છે. ધુમ્રપાનની ખરાબ અસર મુખ્યત્વે ઉધરસ અને ગાળામાં બળતરાની સાથે શરૂ થાય છે અને સમય જતાં તે હદય રોગ, શ્વાસનળીનો સોજો, ન્યુમોનિયા સ્ટ્રોક અને ઘણા પ્રકારનાં કેન્સર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સહિત વધુ ગંભીર પરિસ્થિતી પણ સર્જી શકે છે, જેમાં સૌથી ગંભીર અને વધુમાં વધુ જોવા મળતી સમસ્યા ઓરલ કેન્સર (માઉથ કેન્સર) છે. 

કોરોના મહામારીની કપરી પરિસ્થતિતમાં જ્યારે દરેક જગ્યાએ ઇમ્યુનિટી પાવર પર વધારવાની ચર્ચાઓ ચાલી રહી છે અને તેના માટે યોગ્ય દવાઓ પણ શોધાઇ રહી છે એ સમયમાં દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જ રહ્યું. જો ધુમ્રપાન જેવી આદતો હશે તો તે ફેફસા માટે હાનિકારક બનશે અને તેનાથી મૃત્યુ પણ નીપજી શકે છે. આ ઉપરાંત ધુમ્રપાન એ સિગારેટ પીનાર વ્યક્તિ માટે તો જોખમી થઈ જ જાય છે, પરંતુ તેનાં ધુમાડાનાં કારણે ધુમ્રપાન કરતી વ્યક્તિનાં આસપાસનાં લોકોને પણ શ્વાસનાં રોગ થઈ શકે છે અને વળી સિગારેટનો ધુમાડો પર્યાવરણને પણ અતિશય નુકસાન પહોંચાડે છે.


અહીં ક્યારેક એ સવાલ પણ પેદા થાય છે કે ભારત જેવા દેશમાં જ્યાં તમાકુ,સીગારેટનાં પેકિંગ પર જ તેના ઉપભોગ કર્યા પછીના પરિણામો દર્શાવેલ હોય છે અને કોઈ ફિલ્મ બતાવતા પહેલા પણ વ્યસન નિષેધ જાગૃતિનાં વિજ્ઞાપનો દર્શાવાય છે છતાં પણ દેશમાં મોટા ભાગે લોકો કોઈ ને કોઈ વ્યસનનો શિકાર થતા જ હોય છે.


 ધુમ્રપાનની સમસ્યા મુખ્યત્વે મેટ્રો સિટીમાં વધારે જોવા મળે છે તેની પાછળ મેટ્રો સિટિનું વ્યસ્ત જીવન, સતત ચાલતું અને દોડધામ કરતું શરીર અને મન ને લાગતો માનસિક થાક જવબદાર છે. 


વધતી જતી હરિફાઈમાં વ્યક્તિ પર સતત ને સતત કામનું દબાણ રહેવાનું એ સ્વાભાવિક છે, પરંતુ તેના કારણે માદક દ્રવ્યોનાં સેવનનું આદિ થઇ જવું એ કોઈ સમસ્યાનો હલ ન કહી શકાય. ધુમ્રપાનની આદત છોડવા માટે વ્યક્તિએ સૌ પ્રથમ મક્કમ નિર્ધાર કરવો પડશે જેના માટે એકાગ્રતા તેમજ ચિત્તની શક્તિની આવશ્યકતા છે. આ શક્તિ ધ્યાન, પ્રાણાયામ અને યોગથી શક્ય બની શકશે. ધુમ્રપાન સહિત તમામ વ્યસનોનો ત્યાગ કર<649636-4.p સૌજન્ય - ગુજરાત સમાચાર ( માર્ચ 2021) સંયોજક - વિવેક બારૈયા.

Do What Love to, Love What you Do

ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...